જલીય વનસ્પતિનાં અનુકૂલનો નીચે મુજબ છે : વાંચો અને નોટબુકમ...
જલીય વનસ્પતિનાં અનુકૂલનો નીચે મુજબ છે :
(1) જલીય વનસ્પતિઓનું મૂળતંત્ર અલ્પવિકસિત હોય છે. મૂળ કદમાં નાનાં હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે.
(2) વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલાં અને હલકાં હોય છે. આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે.
(3) વનસ્પતિનાં પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતાં હોય છે.
(4) કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. (5) કેટલીક વનસ્પતિનાં પણ સાંકડાં અને પાતળી પટ્ટી જેવાં હોય છે. તે
વહેતા પાણીમાં વળી શકે છે.
( 6) કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિઓમાં પર્ણો એટલાં વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે.
તમે અહીથી કેટલું શીખ્યા ? નીચે લખો.